Posts

Showing posts from August, 2017

ભારતના મહાન ખેલાડી અને હોકીના જાદુગર - મેજર ધ્યાનચંદ

જે રીતે ફૂટબોલમાં પેલે અને ક્રિકેટમાં બ્રેડમેન ખ્યાતનામ છે તે જ રીતે ભારતના હોકીના જાદુગર અને મહાન ખેલાડી એવા મેજર ધ્યાનચંદની ઉપલબ્ધિઓ પણ આ બન્ને જેટલી જ છે. આજે આ મહાન રમતવીરની જન્મજયંતી છે. અને તેમનો  જન્મદિવસ ભારતમાં ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ ઇલાહાબાદમાં થયો હતો. તેમના બાળપણમાં રમતવીરના કોઈ વિશેષ લક્ષણ ન હતા. તેમની હોકીના રમતની પ્રતિભા જન્મજાત ન હતી. તમને પોતાની જાતે સતત સાધના, અભ્યાસ, લગન અને સંઘર્ષ અને સંકલ્પના સહારે આ પ્રતિષ્ઠા મેળવી હતી. સાધારણ શિક્ષા પ્રાપ્ત કરીને ૧૬ વર્ષની આયુમાં ૧૯૨૨માં દિલ્લીમાં પ્રથમ બ્રાહ્મણ રેજીમેન્ટમાં સેનામાં એક સાધારણ સિપાહીની હૈસિયત થી ભરતી થયા હતા. જયારે પ્રથમ બ્રામણ રેજીમેન્ટમાં ભરતી થયા ત્યારે એના મનમાં હોકીની કોઈ વિશેષ રસ ન હતો. ધ્યાનચંદને હોકી રમવામાટે પ્રેરિત કરવાનો શ્રેય રેજીમેન્ટના બીજા સુબેદાર મેજર ત્રિપાઠીને મળે છે. જો ત્રિપાઠી ધ્યાનચંદને હોકી રમવા પ્રેરત નહિ તો આજે આપની પાસે વિશ્વનો મહાન રમતવીર ન હોત. મેજર ત્રિપાઠી સ્વયં એક હોકીના ચાહક અને રમતવીર હતા. તેમની દેખ રેખ માં ધ્યાનચંદએ હોકી રમવ...

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ

ભારતમાં ઓગણત્રીસ રાજ્ય અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતના રાષ્ટ્રપતિ દરેક કેન્દ્ર શાસિત પ્રદેશના એક સરકારી સંચાલક તેમજ રાજ્યપાલ નામાંકન કરે છે. ભારતના રાજ્ય અને રાજધાની અને તેમના મુખ્યમંત્રી અને રાજ્યપાલ  ૧. રાજ્ય - ગોવા રાજધાની - પણજી રાજ્યપાલ - મૃદુલા સિન્હા મુખ્યમંત્રી - મનોહર પર્રિકર ૨. રાજ્ય - મણીપુર રાજધાની - ઈંફાલ રાજ્યપાલ - નજમા હેપતુલ્લા મુખ્યમંત્રી - એન બીરેન સિંહ ૩. રાજ્ય - પંજાબ રાજધાની - ચંડીગઢ રાજ્યપાલ - કપ્તાનસિંગ સોલંકી મુખ્યમંત્રી - અમરિન્દર સિંહ ૪. રાજ્ય - ઉતરાખંડ રાજધાની - દેહરાદુન રાજ્યપાલ - કૃષ્ણકાંત પોલ મુખ્યમંત્રી - ત્રિવેન્દ્ર સિંહ રાવત ૫. રાજ્ય - ઉત્તરપ્રદેશ રાજધાની - લખનઉ રાજ્યપાલ - રામ નાઈક મુખ્યમંત્રી - યોગી આદિત્યનાથ ૬. રાજ્ય - અરુણાચલ પ્રદેશ રાજધાની - ઇટાનગર રાજ્યપાલ - જ્યોતીપ્રસાદ રાજખોવા મુખ્યમંત્રી - પેમા ખાંડુ ૭. રાજ્ય - અસમ રાજધાની - દિસપુર રાજ્યપાલ - પી.બી. આચાર્ય મુખ્યમંત્રી - સર્બાનન્દા સોનવાલ ૮. રાજ્ય - આંધ્રપ્રદેશ રાજધાની - હૈદરાબાદ રાજ્યપાલ - ઈ.એલ. નરસિંહમ મુખ્યમંત્રી - એન. ચંદ્રબાબુ નાયડૂ ૯. ...

સરકારી પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ

કલિંગ પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે? -  વિજ્ઞાન સૌપ્રથમ ક્યાં રાજ્યએ સહાયક સંધિનો સ્વીકાર કર્યો હતો? -  હૈદરાબાદ સંઘ લોક સેવા આયોગ  ( યુપીએસસી) ના અધ્યક્ષ કોણ છે? -  ડેવિડ આર. સિમિલ્હ રાષ્ટ્રીય કિસાન આયોગના અધ્યક્ષ કોણ છે? -  ડૉ. એમ.એસ. સ્વામીનાથન મુખ્ય સુચનાના કમિશનર કોણ છે? -  આર. કે. માથુર ભારતીય રિજર્વ બૈંકના ગર્વનર કોણ છે? -  ઉર્જીત રવિન્દ્ર પટેલ સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના જનરલ સેક્રેટરી -  એંટોની ગુટરેજ સીબીએસઈના અધ્યક્ષ કોણ છે? -  શ્રી રાજેશ કુમાર ચતુર્વેદી વાનર સેના અને મંજરી સેનાનો સંબંધ ક્યાં આંદોલન સાથે છે? -  અસહકાર આંદોલન  મહાત્મા ગાંધીની જન્મસ્થળ ક્યાં આવેલું છે? -  પોરબંદર  ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? -  શ્રી રામનાથ કોવિંદ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? -  વૈંકૈયા નાયડુ લોક સભાના અધ્યક્ષ કોણ છે? -  સુશ્રી સુમિત્રા મહાજન રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે? -  શ્રી પી. જે. કુરિયન લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? -  ડૉ. એમ. થમ્બીદુરઈ વિપક્ષના નેતા રાજ્યસભામાં કોણ છ...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

૨૦મી જુલાઈ ૨૦૧૭ના રોજ રામનાથ કોવિંદ દેશના ૧૪માં રાષ્ટ્રપતિ ચુટાયા હતા. ૨૫ જુલાઈ ૨૦૧૭ના રોજ ભારતના ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ જે એસ ખેહર દ્વારા તેમણે રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા. આ સાથે જ તે ભારતના પ્રથમ નાગરિક તેમજ સેનાની ત્રણેય પાંખના પ્રમુખ પદ પર બિરાજમાન થયા. રામનાથ કોવિંદનો જન્મ ૧ ઓક્ટોમ્બર ૧૯૪૫માં કાનપુરના દેરાપુર તાલુકામાં થયો હતો. તેમના પિતાનું નામ સ્વર્ગીય માઈર્કૂ લાલ તેમજ માતાનું નામ સ્વર્ગીય કલાવતી હતું. તમની પત્નીનું નામ સવિતા કોવિંદ છે. રામનાથ કોવિંદની શિક્ષા  રામનાથ કોવિંદે બી.કોમ અને એલએલબીની ઉપાધી પ્રાપ્ત કરી છે. આ ડીગ્રી તેઓએ કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી મેળવી હતી. કાનપુરથી વકીલાતની શિક્ષા પૂરી કર્યા પછી તે દિલ્લી ગયા. દિલ્લીમાં તેમણે આઈએએસ ની પરીક્ષા પાસ કરવાની કોશીશ કરી પરંતુ તે તેમાં સફળ ન થયા. શરુઆતમાં બે અસફળતા મળ્યા પછી પણ તેમણે હાર ન માની અને ત્રીજી વાર ફરી આઈએએસ એન્ટ્રસ પરીક્ષા આપી જેમાં આ વખતે સફળ થયા તેમ છતાં તેમને આઇએએસ પદ મળ્યું ન હતું. તેમણે નોકરી ન કરી અને નોકરીની જગ્યાએ લો નો અભ્યાસ કરવાનું સાચું લાગ્યું.  રામનાથ કોવિંદનું કરિયર  ...

ત્રણ તલાક ગેરબંધારણીય કરાર- સુપ્રીમ કોર્ટ

એક સાથે ત્રણ તલાકને આજે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કરાર આપ્યો છે. કોર્ટની પાચ સદસ્ય બેંચમાંથી ત્રણ જજોએ એક સાથે ત્રણ તલાક આપવા ને ગેરબંધારણીય માન્યો હતો. તેઓએ આ ભેદભાવ અને સમાનતાના મૌલિક અધિકારનું ઉલ્લઘન બતાવ્યું છે. સુપ્રીમ કોર્ટની બેંચે એ પણ કહ્યું કે એક સાથે ત્રણ તલાક ગેરકાનૂની છે અને ત્વરિત જ ખત્મ કરવામાં આવે.  સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે ઇસ્લામિક દેશોમાં ત્રણ તલાક પર પ્રતિબંધ લાગુ છે તો શું સ્વતંત્ર ભારત આનાથી મુક્તિ ન મેળવી શકે? ત્રણ તલાકના આ કેસ પર પાંચ જજની બેંચ, ચીફ જસ્ટિસ જેએસ ખેહર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ યૂયૂ લલિત, જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમને આજે જયારે ફેશલો સંભળાવ્યો ત્યારે એમનામાં મતભેદ હતો.  આમાંથી જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમને ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો જયારે ચીફ જસ્ટિસ જેએસ ખેહર અને જસ્ટિસ અબ્દુલ નજીર ત્રણ તલાકના પક્ષમાં હતા.  ચીફ જસ્ટિસ કેએસ ખેહરે કહ્યું કે દરેક પાર્ટી રાજનીતિક મતભેદ એક બાજુ રાખીને આ મુદ્દા ઉપર એક જૂથ થઇને સંસદમાં ફેસલો કરે. એમને ત્રણ તલાક પર છ મહિના...

જનરલ નોલેજ ગુજરાત

કારતક સુદ અગિયારસે તુલસીના વિવાહ કોની સાથે કરવામાં આવે છે? - વિષ્ણુ ગિરનારનો પર્વત જૈન ધર્મના ક્યાં તીર્થકરનો (શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ ) ગણાય છે? - નેમિનાથ  ક્યાં મહાન સાધુએ એક ધારી ૬૪ વર્ષ સુધી વિદ્યાની ઉપાશના કરી હતી જેથી તે "કલિકાલ સર્વજ્ઞ" કેહવાયા? - હેમચંદ્રાચાર્ય  હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? - ચાંગદેવ સોલંકી રજાઓનો ઈતિહાસ રજુ કરતુ પુસ્તક કે જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલું છે તે? - દ્રયાશ્રય ગુરુનાનકના મત મુજબ બે પ્રકારના લોકો એક "ગુરુમુખ" તો બીજા? - મનમુખ "રામ કી ચીડિયા" રામ ક ખેત, ખાલો ચીડિયા, ભર ભર પેટ" આ વાણી કોની છે? - ગુરુનાનક ગીતાના ઘટકોમાં કયો યોગ નથી આવતો? - પુરુષોત્તમ યોગ  ઉપનિષદોનું ઉપનિષદ્ એટલે? - શ્રીમદ્ ભગવત ગીતા ગુજરાતમાં આવેલી સરસ્વતી નદીનો ઉલ્લેખ ક્યાં વેદમાં જોવા મળે છે? - ઋગ્વેદ ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? - એસ. ટી. દેસાઈ કઈ નદી અંત:સ્થ ( કુંવારિકા) નદી નથી? - મહી  ગુજરાતી સાહિત્યના પ્રથમ નાટક 'લક્ષ્મી' ની રચના કોને કરી હતી? - નર્મદ બાલા હનુમાન મંદિર ક્યાં આવેલ...

ભારતીય અંતરીક્ષ પ્રોગ્રામના જનક- ડો. વિક્રમ અંબાલાલ સારાભાઇ

વિક્રમ સારાભાઇ ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. તેને ભારતીય અંતરીક્ષ પ્રોગ્રામના ભીષ્મપિતામહ પણ કહેવાય છે. વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇને શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલ પણ આપવામાં આવ્યું છે. વિક્રમ સરભાઈને  ૧૯૬૬માં પદ્મ ભૂષણ તેમજ ૧૯૭૨માં પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇ નું પૂરું નામ વિક્રમ અંબાલાલ સારાભાઇ હતું અને તેનો ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં ગુજરાતના કર્ણાવતી શહેરમાં થયો હતો. સારાભાઇના પરિવારમાં તેમના જીવનમાં ખુબ જ મહત્વ હતું અને તે એક અમીર વ્યાપારી પરીવારમાં જન્મ્યા હતા. તેમના પિતા અંબાલાલ સારાભાઇ એક સમૃદ્ધ ઉદ્યોગપતિ હતા જેની પાસે ગુજરાતમાં ઘણી એવી મિલ્સ પોતાના નામે હતી. વિક્રમ સારાભાઇ, અંબાલાલ અને સરલા દેવીના આઠમાં સંતાન હતા. સરલા દેવીએ પોતાના બાળકોને ભણાવવા માટે મોટેસરી પ્રથાની અનુશાર એક ખાનગી શાળાની સ્થાપના કરી હતી, જેને મારિયા મોટેસારીને પ્રતિપાદન કર્યું હતું. તેમની આ શાળાએ બાદમાં ખુબ જ ખ્યાતી પ્રાપ્ત કરી હતી. સારાભાઇના પરિવાર ભારતીય સ્વત્રંતા અભિયાનમાં શામિલ હોવાને કારણે કેટલાય સ્વત્રંતા સેનાની જેવાકે મહાત્મા ગાંઘી, મોતીલાલ નેહરુ, રવીન્દ્રનાથ ટાગોર ઓર જવાહરલાલ નેહરુ ઘણીવાર...

સાતમ આઠમનો તહેવાર એટલે સૌરાષ્ટ્રની પ્રજાનું મીની વેકેશન ........

આજે નાગપાંચમ એટલે સાતમ આઠમના તેહવારની શરૂઆત. આમતો સૌરાષ્ટ્રના લોકો એક પછી એક એમ બધા તહેવાર હર્ષ- ઉલ્લાસથી ઉજવતા હોય છે પણ દિવાળી અને સાતમ આઠમનો તહેવાર આવે એટલે જાણે એક અલગ જ ઉત્સાહ જોવા મળે. ગામડામાં તહેવારને અનુલક્ષીને ઘરે ઘરે ફરસાણ તૈયાર થઇ રહ્યું હશે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રવાસી સાતમ આઠમમાં બહારના સ્થળોએ ફરવા જતા રહે છે. એમાય ખાસ કરીને રાજકોટની પ્રજા આ બાબતે મોખરે હોય છે. મોટું નાનું ફેમીલીએ તો અત્યારે નક્કી પણ કરી લીધું હશે કે ક્યાં ક્યાં સ્થળોએ ફરવા જવું. રાજકોટના કેટલાક પરીવાર તો એટલા હરખપદુળા હોય છે કે તેઓ તો આજે જ રવાના થઇ જશે. નજીક જોવા લાયક સ્થળો જોવા જેવા ની રહે એટલી ચિક્કાર ગીરદી જોવા મળશે. રાજકોટમાં લોકમેળામાં તો જાને માનવનું ઘોડાપુર જોવા મળશે. દુર દુરના ગામડામાંથી ગ્રામ્યજનો આ લોકમેળાનો આનંદ લેવા આવશે. રાજકોટ મુનીસીપલ કોર્પોરેશન લોક મેળાનું નામ રાખે છે તેમ આ વખતે પણ આ લોકમેળાનું નામ " વાયબ્રન્ટ મેળો" એવું નામ આપવામાં આવ્યું છે. આ આઠ દિવસના મીની વેકેશનમાં સૌરાષ્ટ્રના લોકો નજીક સ્થળ જેવા કે ચોટીલા, જડેશ્વર, જુનાગઢ, દીવ થી લઇ મુંબઈ, આબુ, સાપુતારા સુધી પહોચી...