Posts

Showing posts from January, 2018

આજ ભારતીય લેખિકા અને કવિયત્રી કમલાદાસની ગૂગલે ડુડલ બનાવીને યાદ કર્યા.

આજે ગૂગળ ડુગલના મુખ્ય પુષ્ઠ પર હાથમાં એક પેન અને કાગળ પકળેલી નારીની ઝલક દેખાય છે. તે નારીનું નામ છે કમલાદાસ છે. કમલાદાસ ભારતીય લેખિકા તેમજ કવિયત્રી હતી.  કમલાદાસનો જન્મ તો હિન્દૂ પરિવારમાં થયો હતો પરંતુ 68માં વર્ષે તેમણે  ઇસ્લામ કબૂલ કર્યું હતું અને ત્યારથી તેમને કમલા સુરૈયાના નામથી જાણતા હતા.  કમલાદાસનો જન્મ 31માર્ચના રોજ કેરળના ત્રિચુરમાં 1934માં થયો હતો. મશહૂર અખબાર માતૃભૂમિના કાર્યકારી સંપાદક બીએમ નાયર અને નાલાપત બલમાની અમ્માના ઘરે એમનો જન્મ થયો હતો. બલમાની અમ્મા પણ મલયાલી કવિયત્રી હતી. દાસનું બાળપણ કલકત્તામાં વીત્યું હતું. તેમના પિતા વોલફોર્ડ  ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. દાસે પણ તેમની માતાની જેમ લખવાનું શરુ કર્યું. તેમના કાકા નાલાપત નારાયણ મેનન પણ પ્રસિદ્ધ લેખક હતા જેમની અસર કમલાદાસ પણ પડી હતી. કવિતા પ્રત્યે દાસનું આર્કષણ એટલું વધ્યું કે નાની ઉંમર થી જ તેમણે લખવાનું શરૂ કરી દીધું હતું.  15વર્ષની ઉમ્રમાં જ દાસના લગ્ન માધવ દાસ સાથે કરવામાં આવ્યા હતા જે વ્યવવસાયે બેંકર હતા. તેમના પતિએ લખવા માટે પ્રેરિત કાર્ય અને આગળ જતા તેમની રચના...

ટેનિસમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીતીને રોજર ફેડરર બન્યો મહાનાયક......

સ્વિત્ઝરલેન્ડના ટેનિસના રમતવીર રોજર ફેડરરે ઇતિહાસમાં પોતાનું નામ સવર્ણ અક્ષરે લખાવી નાખ્યું છે. 36 વર્ષના ફેડરરે રવિવારના ઓસ્ટ્રલિયન ઓપનમાં પુરુષ સિંગલ્સમાં મારિન સિલિચને પાંચ સેટોના મોટા મુકાબલામાં માત આપીને કરિયરનો 20મોં ગ્રાન્ડ સ્લેમ જીતીને ટેનિસની રમતના મહાનાયક બની ગયો છે.  ફેડરરે ફાઇનલમાં સિલિચને 6-2,6-7(5),6-3,3-6 અને 6-1 થી માત આપીને ઓસ્ટ્રલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ ફેડરર સ્પેશલ ક્લ્બમાં શામિલ થઇ ગયો હતો. હવે તે માર્ગરેટ કોર્ટ, સેરેના વિલિયમ્સ અને સ્ટેફી ગ્રાફની બરાબરી શામિલ થઇ ગયો છે, જેમણે 20 કે તેથી વધુ મેજર ખિતાબ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે રોજર ફેડરર વિશ્વનો પ્રથમ પુરુષ રમતવીર છે જેણે 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે.  રોજર ફેડરરની 15 રોચક વાત........ રોજર ફેડરરનો જન્મ 8 ઓગસ્ટ 1981માં સ્વિત્ઝરલેન્ડના બસેલ શહેરમાં થયો હતો. રોજર ફેડરર નાનપણથી જ ટેનિસમાં ખાસ રુચિ રાખતો હતો. ટેનિસ ઉપરાંત રોજર ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ પણ રમતો હતો.  રોજરે પોતાનો  સમય વધુમાં વધુ રમતની દુનિયામાં દેવા માટે 16વર્ષની જ ઉંમરમાં ભણવાનું છોડી દીધ...

ભારતમાં સાક્ષરતા કરતા સાચા શિક્ષણની જરૂર છે.

ભારત દેશમાં દર દસ વર્ષે સરકાર વસ્તી ગણતરી કરાવે છે જેમાં જુદી જુદી વિગતોથી સરકારી આંકડાઓ જાહેર કરે છે તેમાં દર વખતે સાક્ષરતાનો આંકડો જાહેર કરતા હોય છે પણ સાક્ષરતા અને શિક્ષણ બંને અલગ જ બાબત છે તે લોકોએ સમજવું જોઈએ. સાક્ષરતાનું પ્રમાણ વધ્યું હોય એટલે જરૂરી નથી કે ત્યાં સિક્ષણનું પ્રમાણ વધ્યું હોય પણ ફક્ત સાક્ષરતાથી જે લોકો પહેલા વાંચી લખી શકતા ન હતા તે વાંચી તેમજ લખી શકે છે જયારે સાચું શિક્ષણ સામાજિક વ્યવહારની સમજણ તેમજ વિકસિત થઇ રહેલા દેશમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા દેશમાં હજુ કેટલાય ગામો એવા છે કે જ્યાં હજુ પ્રાથમિક શાળા નથી તેમજ પ્રાથમિક સુવિધા નથી કે બાળકો ત્યાં સામાન્ય શિક્ષણ પણ લઇ શકે. સરકારની સાથે લોકોએ પણ સહિયારો સાથ આપવો જોઈએ. આપણે ગ્રામીણ વિસ્તારના લોકોની રહેણી કહેણી શહેર કરતા તદ્દન જુદી જ હોય છે. આજે પણ સરકારની કોઈ વાત જો ગ્રામ્ય વિસ્તાર સુધી પોહચાડી હોય તો ઘરે ઘરે જઈને લોકોને સમજાવા જવું પડે છે. ભારત દેશમાં શિક્ષણની સાથે ભાષાકીય પણ અલગતા જોવા મળે છે. શિક્ષણમાં ધરખમ ફેરફાર કરવા જોઈએ......... આજે સ્થિતિ એ છે કે ભારત દેશમાં જુદા જુદા રાજ્યોમાં શિક્ષણની સ્વાયતતા ને કા...

આજે ક્રાંતિકારી નેતાજી સુભાષ ચંદ્ર બોસ ની 121મી જન્મજ્યંતિ......

નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઉડ઼ીસાના કટકમાં થયો હતો. નેતાજીનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. નેતાજી બોસના પિતા જાનકીનાથ કટકના મશહૂર વકીલ હતા અને તેમની માતાનું નામ પ્રભાવતી હતું. સુભાષ ચંદ્ર બોસ અને તેમના ભાઈ બહેન થઈને તેમના માતા પિતા ને કુલ 14 સંતાનો હતા. સુભાષ ચંદ્ર તેમના માતા પિતાના નાવમાં સંતાન હતા. નેતાજી બોસ આપણા દેશને ખુબ જ પ્રેમ કરતા હતા અને એમની જિંદગી દેશ માટે સમર્પિત કરી દીધી હતી.  નેતાજીની પ્રારંભિક શિક્ષણ કટકના રેવેશૉવ કોલેજિયેટ સ્કુલમાં થયું હતું. ત્યાર બાદ કલકતાની પ્રેસિડેંસી કોલેજ અને સ્કોટિશ ચર્ચ  કોલેજ માંથી કરી અને ત્યારપછી ભારતીય પ્રશાસનિક સેવાની તૈયારી માટે નેતાજી બોસ ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા હતા. તે સમયે સિવિલ સર્વિસની પરીક્ષામાં નેતાજી બોસને ચોથું સ્થાન પ્રાપ્ત થયું હતું. 1921માં ભારત દેશની આઝાદી માટે વધતી રાજનીતિક ગતિવિધિયાના સમાચાર જાણીને નેતાજી ભારત પરત આવ્યા.  સિવિલ સર્વિસ પછી તે ભારતીય કોંગ્રેસની સાથે જોડાય ગયા હતા. સુભાષ ચંદ્ર બોસ મહાત્મા ગાંધીના અહિંસવાદી વિચારોથી  સહમત ન હતા. નેતાજી ક્રા...

ISROના નવા ચેરમેન બન્યા કે સિવાન, કિરણ કુમારની જગ્યા લેશે સિવાન.

ભારત સરકારે અંતરિક્ષ અનુસંધાન સંસ્થાના નવા ચેરમેનના રૂપમાં મશહૂર વૈજ્ઞાનિક અને હાલમાં જ 104 સેટેલાઇટ લૌચમાં પ્રમુખ ભૂમિકા નિભાવવાળા કે સિવાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. કે સિવાન એ એસ કિરણ કુમારનું સ્થાન લેશે. કેન્દ્રીય કેબિનેટની નિયુક્ત સમિતિએ તેમના નામની મંજૂરી આપી હતી.  ભારત સરકારની કાર્મિક અને પરિક્ષણ મંત્રાલયે સિવાનને આગલા ત્રણ વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી અને સ્પેસ કમિશનના ચેરમેન પણ બનાવ્યા છે. વર્તમાનમાં સિવાન વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટરના ડાયરેક્ટર છે. કે સિવાને વર્ષ 1980માં મદ્રાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી માંથી ઍરૉનૉટિકલ ઇન્જીનિયરિંગમાં સ્નાતક કર્યું છે. આઈ આઈ ટી મુંબઈથી તેમણે વર્ષ 2006માં ઍરોસ્પેસ ઇન્જીનિયરિંગમાં પીએચડી પુરી કરી હતી.  સિવાન વર્ષ 1982માં ઈસરોમાં આવ્યા અને પીએસએલવી પરિયોજના ઉપર તેમણે કામ કર્યું. તેમેણે એંડ તું એંડ મિશન પ્લાનિંગ, મિશન ડિજાઇન અને મિશન ઇન્ટિગ્રેશન એંડ એનાલિસિસમાં ઘણું યોગદાન આપ્યું છે.  એવોર્ડસ : શ્રી હરિ ઓમ આશ્રમ પ્રેરિત ડૉ. વિક્રમ સારાભાઈ રિસેર્ચ એવોર્ડ 1999માં.  ઈસરો મેરીટ એવોર્ડ...