Posts

Showing posts from March, 2017

ભારતનો દુશ્મન વસ્તી વધારો છે.

ભારત દેશ આઝાદ થયો ત્યારે કેટલી વસ્તી અને અત્યારે કેટલી વસ્તી છે તે જોતા જ ખ્યાલ આવી જશે કે દેશમાં વસ્તી વધારો કેટલો ફાટી નીકળ્યો છે. અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ દેશની વસ્તી વધે ત્યાં ભૂખમરો તેમજ પ્રચંડ બેકારી વધે છે. આજે દેશના કેટલાય લોકો એવા છે કે જે ભૂખ્યા પેટે સુવે છે તો બીજી તરફ જોઈએ તો દેશમાં આત્મહત્યા માં યુવાનો મોખરે છે કારણકે આર્થિક તંગી ને કારણકે તે આ પગલું લેતા હોય છે. કેટલાક લોકોને તો આ વસ્તી વધારો પણ ઓછો લાગે છે અને કહે છે કે હજુ વધારે બાળકો કરવા જોઈએ  શું આ વ્યાજબી છે? ભારત દેશની આઝાદી પછી જો વસ્તી વધારા પર નિયંત્રણ રાખ્યું હોય તો આજે જે આર્થિક કટોકટી દેશમાં છે તે નો હોત. આજે દેશના યુવાનોને સરકાર રોજગાર પુરી પડી શકશે? કદાચ કોઈ પણની સરકાર રચાય તો પણ આટલી મોટી વસ્તી વાળા દેશ બધાને સરકારી નૌકરી આપી નો જ શકે. આ સરકારે પણ ભવિષ્ય માટે આયરે વસ્તી વધારા માટે નક્કર પગલાં લેવા જોઈએ. ભારતીયોની સંખ્યા ફક્ત ભારતમાં જ નય પરંતુ ભારતની બહાર પણ એટલી જ છે એ તો આપણે બીજા દેશનો આભાર માનવો જોઈએ કે ભારતીઓ ને સાચવી રાખ્યા છે. એક વાર વિચાર કરો કે જો બીજા દેશના લોકો જો જ્યાં ભારતીય વસે...

23મી માર્ચ શહિદ દિવસ

આજે 23મી માર્ચ એટલે ભારત દેશ આ દિવસને  શહિદ દિવસ તરીકે મનાવે છે. આ જ દિવસે ભારતની આઝાદી માટે ક્રાંતિકારીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. 23મી માર્ચ 1931 ના રોજ સાંજે 7 કલાકે અને 30 મિનિટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સ્થિત જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. તે સમયે ભગતસિંહની ઉંમર ફક્ત 23 વર્ષ હતી. પરંતુ આટલી નાની ઉમર હોવા છતાં તેને ખબર હતી કે આખું ભારત વિખેરાય ગયેલું છે તેને એક સાથ જોડી શકાય તેમ છે. તે હંમેશા કહેતા કે આપણી શહાદતમાં જ આપણી જીત છે. ભારતની આઝાદી માટે તેઓ જે વિચારતા હતા તેના પર તેને પૂરો ભરોસો હતો અને તેઓએ ખચકાટ અનુભવ્યા વગર તેમની જિંદગી દાવ પર લગાવી દીધી હતી. એવું ન હતું કે તે લોકો એ ઉતાવળો નિર્ણય લીધો હતો પરંતુ તેને  ખ્યાલ હતો કે આ નિર્ણય થી જ ભારતને આઝાદી મળી શકશે. અંગ્રેજોને પણ ખબર પડી ગઈ હતી કે આ ત્રણેય ક્રાંતિકારી કઈ પણ કરી શકશે અને એને રોકવા માટે અંગ્રજોએ કેટકેલાય કેવા દવા તેમેજ રણનીતિ અપનાવી હતી પણ તેમ છતાં આ ત્રણેય ક્યારેય અંગ્રેજોના હાથમાં આવી નોતા શક્તા. ભગતસિંહ અને તેમના સાથીએ કોઈ પદયાત્રા કે લોકો ને ભેગા કાર્ય વગર ફક્ત તેમના...

ચેતેશ્વર પુજારા રાહુલ દ્રવિડની યાદ અપાવે છે

રાહુલ દ્રવિડ એટલે ભારતીય ક્રિકેટમાં તેને ધ વોલ તરીકે સંબોધવામાં આવે છે કારણકે તેની ટેસ્ટ ક્રિકેટ રમવાની શૈલી જ તેને બનાવ્યો છે. રાહુલ દ્રવિડ પાસે જબરદસ્ત ટેક્નિક હતી જેથી તે ભલભલા બોલરને હંફાવી દેતો હતો. આવો જ એક બેટ્સમેન ભારતીય ક્રિકેટમાં રેહુલ દ્રવિડનું સ્થાન લઇ લીધું છે જે સૌરાષ્ટ્રના રાજકોટ જેવા શહેર આવે છે. આ નામ એટલે ભારતીય ક્રિકેટમાં જેને રાહુલ દ્રવિડ પછી ધ વોલ તરીકે કહેવામાં આવે છે એ અને તેનું નામ છે ચેતેશ્વર પુજારા। ચેતેશ્વર પુજારાએ હાલમાં રમાય રહેલી ભારત ઑસ્ટ્રિલિયા ટેસ્ટ સિરીઝ ના ત્રીજા ટેસ્ટમાં બેવડી સદી લગાવી હતી, આ બેવડી સદી એટલા માટે વિશિષ્ઠ ગણાશે કેમકે તેમાં પુજારા એ જે રીતનું ટેમ્પરામેન્ટ દેખાડ્યું એ કાબિલે તારીફ છે. આમેય ક્રિકેટમાં એવું કહેવાય છે કે ફોર્મ ઇસ ટેમ્પરરી બટ ક્લાસ ઇસ પર્મનેન્ટ. સૌરાષ્ટ્રમાંથી ઘણા વર્ષ પછી એક સારો બેટ્સમેન ભારતીય ક્રિકેટ ટીમને રેપ્રેઝન્ટ કરે છે. આમતો ચેતેશ્વર પુજારાની રમવાની શૈલી તદ્દન રાહુલ દ્રવિડ જેવી છે અને તે જયારે રમતો હોય ત્યારે આપણે 90ના દશક નું ક્રિકેટ યાદ આવે છે. આ પેહલા પણ ચેતેશ્વર પુજારા એ સદી તેમજ બેવડી સદી ફટકારી છે પરંતુ ભાર...